આ તમામ વ્યવસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ 1.25 લાખથી વધુ દર્શકોની સુરક્ષા અને આરોગ્ય સુનિશ્ચિત કરવાનો છે. સુરક્ષા, તબીબી વ્યવસ્થા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો દ્વારા સંકલન સાથે કામગીરી ચાલી રહી છે.
ક્રિકેટ પ્રેમીઓ માટે આ ફાઈનલ માત્ર રમતનો મુકાબલો નથી પરંતુ એક ભવ્ય ઉત્સવ બની રહેશે. સંગીત, સંસ્કૃતિ અને ક્રિકેટનો મહાસંગમ બનનારી આ રાત સાથે T20 વર્લ્ડ કપનું અમદાવાદમાં ભવ્ય સમાપન થવાનું છે. સમગ્ર દેશના ક્રિકેટ ચાહકોની નજર હવે 8 માર્ચે અમદાવાદ પર ટકેલી છે.